Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

કાલથી ગાંધીગ્રામના ભારતીનગરમાં ભાગવત કથા

જય સોમનાથ ગ્રુપ અને ગોપાલ મહિલા મંડળ દ્વારા સર્વપિતૃઓના મોક્ષાર્થે આયોજન

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટરીંગ રોડ પાસે રામદેવ પીર ચોકડી પાસે આવેલ ભારતીનગર ખાતે જય સોમનાથ મહાદેવ મંદિરે જય સોમનાથ ગ્રુપ તથા ગોપાલ મહીલા મંડળ સર્વે પિતૃ મોક્ષાર્થે સાતમી વખત શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ તા.૨૨/૪ થી તા.૨૯/૪ સુધી ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.
આ સાથે દરરોજ રાત્રે ભજન- સંધ્‍યા, બાળકોને પ્રોત્‍સાહિત કરવા રમત- ગમત, સુંદરકાંડ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કવરામાં આવેલ છે. વ્‍યાસપીઠ ઉપર શાષાીશ્રી પ્રવિણભાઈ બાંભણીયા કથાનું રસપાન કરાવશે. સપ્‍તાહના છેલ્લા દિવસે તા.૩૦/૪ના મહાવિષ્‍ણુયાગ યજ્ઞ તેમજ સ્‍વ.લીલાબા ગોપાલજી રાજપુતના સ્‍મરણાર્થે તેમના પરીવાર તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જય સોમનાથ ગ્રુપ તેમજ ગોપાલ મહીલા મંડળ દ્વારા આમંત્રણ અપાયું છે.આ સપ્‍તાહના આયોજનને સફળ બનાવવા મોહનભાઈ રાજપુત, ક્રિપાલસિંહ ઝાલા, અમીતભાઈ વૈશ્વનવ, ભગવાનદાસ દેવમુરારી, હિતેષભાઈ મહેતા, પારસભાઈ સોની, ભુપેન્‍દ્રસિંહ ઝાલા, યશપાલસિંહ ચુડાસમા, પંકજભાઈ સોહલા, જીગ્નેશભાઈ સાંગડીયા, લાલાભાઈ સાંગડીયા, કિશનભાઈ સિંધવ, વલ્‍કુલભાઈ બોળીયા, અરવિંદભાઈ પરમાર, નરેન્‍દ્રભાઈ મારૂ, હસમુખભાઈ જોષી, સુરેશભાઈ ચાવડા, ઉદયભાઈ ચાવડા, બ્રિજેશભાઈ મકવાણા, ચંન્‍દ્રકાન્‍તભાઈ માઢક વિગેરે જહેમત ઉઠાવી રહયા છે

 

(3:50 pm IST)