Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

રવીવારે બિન સચિવાલય કારકૂનની પરીક્ષા માટે રાજકોટ એસ.ટી. ૩૦ બસો એકસ્‍ટ્રા દોડાવશે

અમદાવાદ-ભાવનગર તરફ બસો મુકાઇ : ૧૮ બસ બૂક થઇ ગઇ..

રાજકોટ, તા. ર૧ :  એલ.આર.ડી.ની પરીક્ષાની જેમ આ રવીવારે બિન સચિવાલય કારકૂનની પરીક્ષા હોય. ર૩ તારીખે અમદાવાદ, ભાવનગર તરફ અને ર૪ તારીખે રાત્રે ૧ર વાગ્‍યા થી પરીક્ષા પૂર્ણ થયા બાદ સાંજે ૭ કલાક સુધીમાં ભાવનગર, ઉના, મહુવા, અમદાવાદ તરફના ઉમેદવારોને જવા માટે એકસ્‍ટ્રો બસોની વ્‍યવસ્‍થા એસ.ટી. ડેપો દ્વારા કરાઇ છે, જેમાં ર૩ તારીખે ૦૭ બસ અને ર૪ તારીખે ર૩ બસ ઉપડશે.
આ એકસ્‍ટ્રા બસોમાં ઓનલાઇન રિઝર્વેશન પણ કરી શકાશે, હાલ આ ૩૦ માંથી ૧૮ બસ બુક થઇ ગયેલ છે તે સિવાય જરૂરીયાત અનુસાર જે તે દિશા માટે વધારાની બસ મુકવાની પણ તૈયારી છે. .

 

(4:01 pm IST)