Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

યુવા ભાજપ મોરચા દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી

રાજકોટઃ 'વીર શહિદ દિન' અંતગર્ત શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા (પી.પી.) ની આગેવાનીમાં શહેર ભાજપ યુવા મોરચાના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓ દ્વારા શહિદ વીર ભગતસિંહ ગાર્ડન, આકાશવાણી ચોક ખાતે શહિદ વીર ભગતસિંહની  પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી.  આ તકે શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા (પી.પી.) તેમજ સતીષ ગમારા, કુલદીપસિંહ જાડેજા, કીશન ટીલવા, પાર્થરાજસિંહ ચોહાણ, પુર્વેશ ભટ્ટ, વ્યોમ વ્યાસ, હીરેન રાવલ,  પ્રવીણ સેગલીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.

(2:53 pm IST)