Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

જૈન મિશન દ્વારા રૈયા ચોકડીએ છાસ વિતરણ શરૂ

રાજકોટઃ આજરોજ તા. ૨૩ જૈન મિશન દ્વારા ઉનાળાની ગરમીમાં કોઠાને ટાઢક આપતી છાસનું વિતરણ કરવામાં આવેલ જેમાં રૈયા ચોકડીની આજુબાજુમાં મજુર વર્ગ, રીક્ષા ચાલકો વગેરે લાભ લીધેલ અને આ સેવા યજ્ઞ ઉનાળા દરમિયાન ચાલુ રહેશે આ તકે જૈન અગ્રણીઓ પીયૂષભાઈ મહેતા, રજતભાઈ સંદ્યવી, પારસભાઈ ખારા, વિમલભાઈ ધામી ( પત્રકાર સાંજ સમાચાર), ગિરીશભાઈ ભટ્ટ (RSS), મહિપાલભાઈ શાહ, કીર્તિભાઈ મહેતા, નીરવભાઈ ખીમાણી (રાજકોટ શહેર પોલીસ) આ કાર્યક્રમને સફળ બનાવવા ર્ંજૈન મિશર્નં ના નીતિનભાઈ મહેતા, મિલનભાઈ મહેતા, હિતેષભાઈ મણિયાર, ધવલભાઈ દોશી, આશિષભાઈ દોશી, મનીષભાઈ પારેખ હિતેષભાઈ દોશી, રાજેશભાઇ મોદી, સુધીરભાઈ, વિમલભાઈ, વિજયભાઈ, અતુલભાઈ, પ્રશાંતભાઈ, વૈભવ, શ્રેય વગેરે જહેમત ઉઠાવેલ.

(2:54 pm IST)