Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

લોધીકા પંથકની સગીરાને ભગાડી જનાર રાજકોટના જય ગોહેલને દબોચી લેવાયો

ભોગ બનનાર સગીરા પણ મળી આવીઃ શાપર-વેરાવળ પાસેથી રૂરલ એસઓજીએ ઝડપી લીધા

રાજકોટ, તા., ૨૩: લોધીકા પંથકની સગીરાને ભગાડી જનાર રાજકોટના યુવાનને શાપર-વેરાવળમાંથી રૂરલ એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. સાથે ભોગ બનનાર સગીરા પણ મળી આવી હતી.

જીલ્લામાં નોંધાયેલ ગુન્હાના વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે પી.આઇ. એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.રાણા તથા ટીમ પેટ્રોલીંગમાં હતા ત્યારે એસઓજીના હેડ કો. ધર્મેન્દ્રભાઇ ચાવડા, જયવીરસિંહ રાણા તથા પો.કો.રણજીતભાઇ ધાંધલને મળેલ બાતમી આધારે લોધીકા પંથકની સગીરાને ભગાડી જનાર જય અરવિંદભાઇ ગોહેલ રે.યુની. રોડ ત્રણ માળીયા બ્લોક નં. ૧૦ રાજકોટ રે. મુળ આંબરડી તા. ગોંડલને શાપર-વેરાવળમાંથી દબોચી લીધો હતો. આરોપી સાથે ભોગ બનનાર સગીર બાળા પણ મળી આવતા બન્નેને લોધીકા પોલીસના હવાલે કરાયા હતા.

આ કાર્યવાહીમાં રૂરલ એચ.ઓ.જી.ના પો.હેડ કો. હિતેષભાઇ અગ્રાવત તથા વિજયગીરી ગોસ્વામી સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(2:55 pm IST)