Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ખાદ્યતેલોમાં ફરી તેજીઃ પામતેલમાં ર૦ રૂ. અને કપાસીયા તેલમાં ૧૦ રૂ.નો ઉછાળો

રાજકોટ, તા., ૨૩: ખાદ્યતેલોમાં આજે ફરી તેજી જોવા મળી હતી. પામતેલમાં ર૦ અને કપાસીયા તેલમાં ૧૦ રૂ.નો ઉછાળો નોંધાયો હતો.

સ્થાનીક બજારમાં સટ્ટાકીય તેજીના પગલે પામતેલમાં એક જ ઝાટકે ર૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. પામતેલ લુઝના ભાવ ૧રરપ રૂ. હતા તે વધીને આજે બપોરે ર વાગ્યે ૧ર૪પ રૂ. ભાવ બોલાયા હતાં. પામતેલની સાથે કપાસીયાના તેલમાં ૧૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૧ર૭૦ હતા તે વધીને ૧ર૯૦ રૂ. થયા હતાં. જયારે કપાસીયા ટીનના ભાવ ર૦૯૦ થી ર૧૧૦ રૂ. હતા તે વધીને ર૧૦૦ થી ર૧ર૦ રૂ. ની સપાટીએ ભાવ પહોંચ્યા હતાં. સીંગતેલના ભાવોમાં બપોર સુધી કોઇ વધ-ઘટ ન હતી.

અત્રે એ નોંધનીય છે કે, તમામ ખાદ્યતેલોમાં તેજીના તરખાટ બાદ ગત સપ્તાહમાં કપાસીયા તેલના ભાવો ઘટયા હતા જયારે અન્ય ખાદ્યતેલોના ભાવો સ્થિર રહ્યા હતાં. નવા સપ્તાહના પ્રારંભે ફરી સ્ટોડીયાઓ સક્રિય થયા હોય તેમ આજે પામતેલ અને કપાસીયા તેલમાં ભાવો ફરી વધ્યા હતાં.

(4:12 pm IST)