Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

જાણીતા ધારાશાસ્ત્રી ગજેન્દ્ર જાની કોરોના સંક્રમીતઃ હોમ કોરન્ટાઇન

રાજકોટ તા. ર૩: કાયદાના નિષ્ણાંત જાણીતા ધારાશાસ્ત્રી ગજેન્દ્રભાઇ જાની કોરોનાથી સંક્રમીત થતા ચિંતાની લાગણી છવાઇ છે.

એડવોકેટ ગજેન્દ્રભાઇ જાનીને બે દિવસ પહેલા શરદી-ઉધરસની અસર તેમજ થોડો તાવ આવતા તેમણે સામેની કોવીડ-૧૯ ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવેલ છે. સ્ટર્લીંગ હોસ્પીટલના ડો. ઝેનીથ સીનોજીયાના માર્ગદર્શન હેઠળ હોમ કોરન્ટાઇન થઇ સારવાર લઇ રહ્યા છે. ગજેન્દ્રભાઇ જાનીએ તેમના નજીકના સંપર્કમાં આવેલ લોકોએ કાળજી રાખવા અને લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવવા અનુરોધ કરેલ છે.

(4:18 pm IST)