Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

જાગનાથ શ્વે. મુ.જૈન સંઘમાં આયંબીલ ઓળી આરાધના : શનિવારે સામૈયુ -વ્‍યાખ્‍યાન

રાજકોટ,તા. ૨૪ : જૈનો ચૈત્રી આયંબીલ ઓળીનો તા. ૨૯ને બુધવારથી પ્રારંભ થશે. શહેરના જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં ઓળીની ભવ્‍ય આરાધના પૂ.આર.ભ.શ્રી કુલચંદ્રસુરિશ્વરજી મહારાજા, પૂ.સા.શ્રી પુન્‍યશાશ્રીજી મ.સા.આ.ઠા. પૂ.સાશ્રી પ્રશરેખાશ્રી આ.ઠા., પૂ.સા.શ્રી હર્ષ દર્શિતાશ્રીજી આ.ઠા તથા ઘોઘારી સમાજના પૂ. આચાર્ય ભગવંતની નિશ્રામાં કરાશે.

જે અંતર્ગત શનિવારે તા. ૨૫ના રોજ સવારે ૭ કલાકે શ્રી આદિનાથ ગ્રહ ચૈત્ર્ય જિનાલય, જીમખાના મેઇન રોડથી સામૈયુ યોજાશે. ૮ કલાકે માંગલીક વ્‍યાખ્‍યાન તથા નવકારશી યોજાશે. તેમજ તા. ૨૬ને રવિવારે સવારે ૭:૪૫ થી પૂ. ગુરૂદેવ વ્‍યાખ્‍યાન સાથે માંગલીક ફરમાવશે.

ઉપરાંત તા. ૨૭ને સોમવારથી દરરોજ સવારે પૂ. ગુરૂદેવ ૮:૩૦ થી ૯:૩૦ વ્‍યાખ્‍યાન ફરમાવશે. જેનો લાભ લેવા તથા સકલ સંઘે પધારવા પ્રમુખ દિનેશભાઇ પારેખે આમંત્રણ પાઠ્‍વ્‍યું છે.

(10:35 am IST)