Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

સાંગણવા અને રીબડા વચ્‍ચે કાર પલ્‍ટી જતાં ઘવાયેલા ભગવાનજીભાઇ વેકરીયાનું મોત

અમરનાથ સોસાયટીના વૃધ્‍ધ દિકરાઓ સાથે ૧૮મીએ કારમાં બેસી ચાંપાબેડાથી રાજકોટ આવતાં હતાં ત્‍યારે અકસ્‍માત નડયો'તો

રાજકોટ તા. ૨૪: રીબડા અને સાંગણવા ગામ વચ્‍ચેના રોડ પર કાર પલ્‍ટી ખાઇ જતાં રાજકોટના વેકરીયા પરિવારના વૃધ્‍ધ, બે પુત્રો સહિતને ઇજાઓ થઇ હતી. જેમાં સારવાર દરમિયાન વૃધ્‍ધનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ઢેબર રોડ પર અમરનાથ સોસાયટીમાં રહેતાં લક્ષમણભાઇ કુરજીભાઇ વેકરીયા (ઉ.વ.૭૫) તથા તેમના બે પુત્રો વિનોદભાઇ અને કિરીટભાઇ સહિતના લોકો ૧૮મીએ ચાંપાબેડા ગામે ખેતીના કામે ગયા હતાં. ત્‍યાંથી રાજકોટ આવતી વખતે ચાંપાબેડાથી રીબડા-સાંગણવા વચ્‍ચેના રોડ પર કાર પલ્‍ટી મારી જતાં તમામને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમાં લક્ષમણભાઇને ગંભીર ઇજા પહોંચતા વોકહાર્ટ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં.

સારવાર દરમિયાન ગત રાતે દમ તોડી દેતાં સ્‍વજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં હેડકોન્‍સ. આર. ટી. વાસદેવાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને પાંચ પુત્ર છે.

(1:12 pm IST)