Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

જેતપુરમાં ગણાત્રા પરિવારના કુળદેવી ભવાની મા- સુરાપુરા બાપાના મંદિરે ભવાની માતાજીનો હવન

૬ એપ્રિલે હનુમાન જયંતિના દિવસે ભવ્‍ય આયોજનઃ હવન- પૂજામાં બેસવા માટે ભાવિકોએ નામ નોંધાવી દેવા

રાજકોટઃ જેતપુર (ગુજરાતીની વાડી, રામક્રિષ્‍ના નગર, ગૌશાળા પાસે) મુકામે સમસ્‍ત ગણાત્રા પરિવારના કુળદેવી ભવાનીમા તેમજ સુરાપુરા બાપાના મંદિરે આગામી તા.૬ એપ્રિલના ગુરૂવારના હનુમાન જયંતિના શુભદિવસે શ્રી ભવાની માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા.૬ એપ્રિલના ગુરૂવારે સવારે ૭ કલાકે હવનનો પ્રારંભ થશે. બપોરે ૧ કલાકે બીડુ હોમાશે. ત્‍યારબાદ મહાપ્રસાદ રાખેલ છે.

હવનમાં પૂજામાં બેસવા માટે ઈચ્‍છુક પરિવારજનોએ વ્‍યવસ્‍થાપક ધર્મેન્‍દ્રભાઈ કાંતિલાલ ગણાત્રા (મો.૮૭૫૮૦ ૮૮૭૬૯)ને નામ લખાવી દેવાના રહેશે. હવનનો ડ્રો હવનના ચાર દિવસ અગાઉ તા.૨ એપ્રિલના રવિવારે ઓનલાઈન મીટીંગમાં કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી માટે સલાહકાર સમીતીના જયેશભાઈ ગણાત્રા (આફ્રિકા), વિમલભાઈ ગણાત્રા (રાજકોટ) (મો.૯૮૨૫૫ ૧૩૨૧૬), ગોપાલભાઈ ગણાત્રા (જુનાગઢ) (મો.૯૮૯૮૨ ૦૨૯૮૪), નરેન્‍દ્રભાઈ ગણાત્રા (અમરેલી) મો.૯૪૨૮૮ ૬૮૯૭૨, વિપુલભાઈ ગણાત્રા (અમદાવાદ) મો.૯૪૨૭૪ ૪૦૧૪૧, સુનિલભાઈ ગણાત્રા (જેતપુર) (મો.૯૮૨૫૫ ૪૪૭૪૮), સુરેશભાઈ ગણાત્રા (સાવરકુંડલા) (મો.૯૪૦૮૧ ૦૫૬૨૦),  રાજુભાઈ ગણાત્રા (વડોદરા) (મો.૯૪૨૬૫ ૧૦૫૪૪), અલ્‍પેશ ગણાત્રા (ભાવનગર) (મો.૯૮૨૫૨ ૦૫૦૦૪)નો સંપર્ક કરી શકાય છે.

શુભ સ્‍થળ- ભવાનીમા તેમજ સુરાપુરા બાપાનું મંદિર, ગુજરાતીની વાડી, રામક્રિષ્‍ના નગર, ગૌશાળા પાસે, જેતપુર.

તસ્‍વીરમાં વિમલભાઈ ગણાત્રા, દિનેશભાઈ ગણાત્રા અને હસમુખલાલ ગણાત્રા નજરે પડે છે.

(4:23 pm IST)