Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

પંચનાથ પ્લોટમાં અને નીર્મલા રોડ પર સ્પા ચાલુ રાખનારા બે સંચાલક સામે કાર્યવાહી

પ્રનગર અને ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી

રાજકોટ,તા. ૨૪: શહેરના પંચનાથ પ્લોટમાં ગાંધીભવન બિલ્ડીંગમાં રીફ્રેશ વેલનેશ સ્પા ચાલુ રાખનાર સંચાલકને પ્રનગર પોલીસે પકડી કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ કોરોના મહામારી અંતર્ગત પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસંધાને પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. વિજયરાજસિંહ  જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પંચનાથ પ્લોટમાં ગાંધી જીવન બિલ્ડીંગમાં રીફ્રેશ વેલનેશ સ્પા ચાલુ રાખનાર સંચાલક ઇમરાન સિકંદરભાઇ ભટ્ટી (ઉવ.૩૯) (રહે. રેલનગર લોકમાન્ય તીલક આવાસ યોજના કવાર્ટર નં. ઇ/૨૧)ને પકડી લઇ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ જે.જી.રાણા તથા કોન્સ. ભરતભાઇ ચૌહાણ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે નિર્મલા રોડ પર આવેલ ધ વાઇન સ્પા ચાલુ રાખનાર સંચાલીકા હીનાબા રાજેન્દ્રસિંહ જાડેજા (રહે. મંગલ પાર્ક શેરી નં. ૨, નિર્મલા રોડ) સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. 

(2:47 pm IST)