Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ડાયાબીટીસની બીમારીથી કંટાળી ભગવતીપરાના આમદભાઇ મીરે ઝેરી પી જીવન ટુકાવ્યું

રાજકોટ,તા. ૨૫: શહેરના ભગવતીપરામાં રહેતા વૃધ્ધે ડાયાબીટીસની બીમારીથી કંટાળ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં. ૮માં રહેતા આમદભાઇ સુલેમાનભાઇ મીર (ઉવ.૬૦) ગઇ કાલે બહારથી ઘરે આવ્યા બાદ અચાનક ઉલ્ટીઓ કરવા લાગતા તેની પૌત્રી જોઇ જતા તેણે તાકીદે દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા અને વૃધ્ધને સારવાર માથે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તપાસનીસ તબીબોએ તપાસ કરતા વૃધ્ધે ઝેરી દવા પીધી હોવાનું જાણવા મળ્યુ હતું. બાદ વૃધ્ધનું સારવાર દરમ્યાખ મોત નિપજયુ હતું. મૃતક આમદભાઇને સંતાનમાં એક પુત્ર છે. તેણે ડાયાબીટીસની બીમારીથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ છે. આ અંગે બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

(3:28 pm IST)