Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

શાસ્ત્રીનગરના ભરવાડ યુવાન ઉપરના હુમલા કેસમાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા. ર૬ :  શાસ્ત્રીનગરના ભરવાડ યુવાન પર જીવલેણ હુમલો કરવા અંગે પકડાયેલ આરોપીઓની જામીન અરજીને સેસન્સ કોર્ટે મંજુર કરીને આરોપીઓને જામીન પર છોડવાની હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રેહતા ભરવાડ યુવાન રાજુભાઇ કાળુભાઇ બોળીયાએ રાજકોટ ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩ર૬, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩પ મુજબની ફરીયાદવ નોંધાવેલ હતી. જે અન્વયે પોલીસ દ્વારા ગત તા. ૧-૩-ર૦ર૧ ના રોજ આ કામના આરોપીઓ (૧) કાનાભાઇ ગંગદાસભાઇ ડોંડા (ભરવાડ) (ર) શિવાભાઇ નથુભાઇ ડોંડા (ભરવાડ) ની ઉપરોકત ગુન્હાના કામ સબબ રાજકોટ ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩ર૬, ૩ર૩, પ૦૪,પ૦૬ (ર), ૧૧૪ તથા જી.પી. એકટ ૧૩પ મુજબની ફરીયાદ આપેલ જે અન્વયે પોલીસે દ્વારા ઉપરોકત આરોપીઓને ધરપકડ કરી તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરતા તમામ આરોપીઓને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો જેથી આરોપીઓના એડવોકેટ મારફત રાજકોટના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલ અને રજુ રાખેલ વડી અદાલતના ચુકાદાઓને ધ્યાનેમાં રાખી રાજકોટ પ્રિન્સપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ યુ.ટી.દેસાઇએ તમામ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા એમ. એન. સિંધવ, રોકાયેલા હતા.

(3:55 pm IST)