Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સંત કબીર રોડ આંબાવાડીની યુવતિ હેતલ ધાંધા ૭ દિ'થી ગૂમ

જોવા મળે તો થોરાળા પોલીસને જાણ કરવી

રાજકોટ તા. ૨૬: સંત કબીર રોડ પર આંબાવાડી-૧૭માં રહેતી હેતલબેન કમાભાઇ ધાંધા (ઉ.વ.૨૦) તા. ૧૯/૫ના રોજ ઘરેથી કપડા ધોવાનું કહીને નીકળ્‍યા બાદ ગૂમ થતાં અને શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્‍સ. જે. બી. જાડેજાએ તપાસ હાથ ધરી છે. ગુમ થનાર શરીરે મજબૂત બાંધાના અને વાને રૂપાળા છે. ઉંચાઇ આશરે પાંચ ફુટ છ ઇંચ છે. ઘરેથી નીકળ્‍યા ત્‍યારે કાળી ડિઝાઇનનો કુર્તો અને પીળી લેગીન્‍સ પહેરી હતી. તસ્‍વીરમાં દેખાતાં હેતલબેન જોવા મળે તો ફોન ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ અથવા તપાસનીશને મો. ૭૯૯૦૩ ૪૩૮૪૬ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(1:24 pm IST)