Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

માલધારી ફાટક પાસે એમપીના યુવાનનો ટ્રેન હેઠળ કુદી આપઘાત

ચાર દિવસ પહેલા જ વતનથી આવ્‍યો હતોઃ રાતે ઘરેથી નીકળી ગયા બાદ પગલુ ભરી લીધું

રાજકોટ તા. ૨૬: દોઢસો ફુટ મવડી રીંગ રોડ પર ફોર્ચ્‍યુન હોટેલ પાછળ સરસ્‍વતિનગર-૧૦માં રહેતાં મુળ મધ્‍યપ્રદેશના યુવાને માલધારી ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આત્‍મહત્‍યા કરી લીધાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. તપાસ કરવામાં આવતાં આ યુવાન સરસ્‍વતિનગર-૧૦માં રહેતો ઇશ્વર શંકરલાલ દબોડ (ઉ.વ.૩૪) હોવાનું ખુલ્‍યું હતું. તે ચાર દિવસ પહેલા જ વતન એમપીથી આવ્‍યો હતો. રાતે દસેક વાગ્‍યે ઘરેથી નીકળી ગયા બાદ તેણે આ પગલુ ભર્યુ હતું. તે ત્રણ ભાઇમાં વચેટ હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં આજીડેમ પીએસઆઇ મહેતાએ તપાસ યથાવત રાખી છે.

(3:56 pm IST)