Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

વાગુદળમાં પેટના દુઃખાવાથી ત્રાસી મનસુખભાઇનો સળગી જઇ આપઘાત

કોળી વૃધ્ધે છ દિવસની સારવારને અંતે દમ તોડ્યોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૭: લોધીકાના વાગુદડ ગામે રહેતાં મનસુખભાઇ જીવાભાઇ વિંજવાડીયા (કોળી) (ઉ.વ.૬૦) નામના   વૃધ્ધે તા. ૨૧ના રોજ વાગુદડમાં પરેશભાઇની વાડીએ અગ્નિસ્નાન કરી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ આજે અહિ છ દિવસની સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે આ અંગે લોધીકા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર મનસુખભાઇ વાગુદડમાં વાડીમાં ચોકીદાર તરીકે કામ કરતાં હતાં. તેમણે પેટનો દુઃખાવો સહન થતો ન હોઇ આ પગલુ ભર્યાનું જે તે વખતે જણાવ્યું હતું. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

(11:49 am IST)