Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

નાલંદા તિર્થધામ ખાતે સોનલ સદાવ્રત કાર્યક્રમ સંપન્ન

રાજકોટ, તા. ૨૫ :. ગો. સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર. પૂ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે સોનલ સદાવ્રત સમારોહનો કાર્યક્રમ સંપન્ન થયેલ. જેમાં સવારે સૌ પ્રથમ બધાને ગરમાગરમ નવકારશી હતી. ૮ થી ૧૦ સુધી જીવન જરૂરીયાતની દરેક વસ્તુની રાશન કીટનું વિતરણ કરવામાં આવેલ.

ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં છેલ્લા ૨૦ વર્ષથી સોનલ સદાવ્રત અખંડપણે ચાલી રહ્યુ છે. સાથે દર વીસ તારીખે સોનલ સારવાર સહાય પણ ચાલી રહી છે. રોજ સવારે ૭ વાગ્યાથી જીવદયાનું કાર્ય અનુકંપાદાન દસ વર્ષથી ચાલી રહ્યુ છે.

આજના વિતરણ પ્રદાતા જય અંબે સેવા મંડળ, કનુભાઈ બાવીશી, રેખાબેન, તારાબેન મહેતા, આર.આર. બાવીશી પરિવાર, આદિ દિલાવર દાતાઓના સૌજન્યથી વિતરણ કરવામાં આવેલ છે. આ પ્રસંગે દાતાઓ, આગેવાનો, શ્રેષ્ઠીવર્યો, સોનલ સેવા મંડળ તથા જંકશન યુવક મંડળે સેવા બજાવી હતી.

આ પ્રસંગે જયેશભાઈ માવાણી, નીલેશભાઈ શાહ, જયેશભાઈ સંઘાણી, પ્રદીપભાઈ માવાણી, ભુપેન્દ્રભાઈ મહેતા, જયભાઈ વોરા, મનોજભાઈ પારેખ, ચિંતનભાઈ, જગદીશભાઈ આદી ચંદભકત મંડળે સેવા બજાવી હતી.(

(3:05 pm IST)