Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

કોંગ્રેસ પુરી તાકાતથી પ્રજાને અન્યાય સામે લડવા સજ્જઃ અશોક ડાંગર

રાજકોટઃ રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી આવતીકાલથી શરૂ થઇ રહી છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આવતીકાલે ચિંતન બેઠક યોજાશે. જેમાં જીલ્લાવાઇઝ ધારાસભ્યો -કાર્યકરો -આગેવાનો ભાગ લેશે.

શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગરે જણાવ્યું હતું કે ભાજપની  તાનાશાહ સરકારે સામાન્ય પ્રજાને મોંઘવારી સહીતનાં  મુદ્દે ભારે અન્યાય કર્યો છે. ત્યારે હવે કોંગ્રેસ સબળ વિરોધ પક્ષ તરીકે પ્રજાને સાથે રાખી સરકારની અન્યાયી નીતીઓ સામે લડવા સજ્જ છે.

વર્તમાન સરકારનાં કૌભાંડો-મોંઘવારી સહીતના મુદ્દે કોંગ્રેસે પ્રજા વચ્ચે જઇ આંદોલનો કર્યા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસનું મજબુત સંગઠ્ઠન લોકોના ઘરે-ઘરે પહોંચાડી. આ અન્યાયી સરકારને ઘરે બેસાડવા માટે લડી લેશે. આ માટે ચિંતન બેઠકમાં માઇક્રો પ્લાનીંગ સહીતની બાબતોનું આયોજન થશે.

(3:30 pm IST)