Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

મહાપાલીકા આવાસ યોજનાની મુદત લંબાવો : ગોવિંદભાઇ પટેલ

રાજકોટ તા. ૨૮ : ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે મ્યુ. કમિશ્નરને પત્ર લખી આવાસ યોજનાની અરજી સ્વીકારવાની મુદત ૩૧ મી સુધીની છે તે લંબાવવા માંગણી કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે આવાસ યોજનાનો ઘણા ઘર વિહોણા લોકો લાભ લેવા માંગે છે. પરંતુ શરતો મુજબના આધાર પુરાવા મેળવવા સમય જોઇએ. આવકનો દાખલો, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે મામલતદાર કચેરી મારફત મેળવવાના હોય છે. પરંતુ કોરોનાના કારણે આવી કચેરીઓ બંધ હોવાથી જરૂરી ડોકયુમેન્ટ મળી શકતા નથી.

જેથી દરેક ઘર વિહોણા લોકો આવાસ યોજનાનો લાભ લઇ શકે તે માટે અરજી કરવાની મુદત લંબાવવા અંતમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે માંગણી કરી છે.

(3:07 pm IST)