Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

આસામથી હૃદયરોગના 19 બાળ દર્દીઓનું સત્‍યસાંઇ હાર્ટ હોસ્‍પિટલમાં આગમનઃ સ્‍વાગત

રાજકોટ : સત્‍યસાંઇ હાર્ટ હોસ્‍પિટલ દ્વારા હૃદયરોગના વિનામૂલ્‍યે ઓપરેશન માટે આસામથી 19 બાળક દર્દીઓની પ્રથમ બેચ આવી પહોંચી હતી. રશ્‍મિકાંત છાયા અને મિતેશ અમીન દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ. શ્રી રશ્‍મીકાંત છાયા (રીટા. ચીફ જસ્‍ટિસ આસામ) અને શ્રી મિતેશ અમીન (પીપી ગુજરાત) વહેલી સવારે 1 વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ પર આસામથી આવેલ હૃદયરોગના 19 બાળ દર્દીઓના પ્રથમ બેચનું સ્‍વાગત કરી રહેલ નજરે પડે છે. કુલ 38 લોકો આવ્‍યા છે. તેમની સાથે આર્થિક નબળા લોક માટે હૃદયરોગના સંપૂર્ણ વિનામૂલ્‍યે ઓપરેશન કરતી શ્રી સત્‍યસાંઇ હાર્ટ હોસ્‍પિટલના મેને. ટ્રસ્‍ટી શ્રી મનોજ ભીમાણી દર્શાય છે.

(11:54 am IST)