Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

કૌશિક મહેતાનો હાસ્‍ય દરબાર

સમસ્‍ત કપુરીયા પરિવાર રાજકોટ દ્વારા ૮-મો સ્‍નેહમિલન સરસ્‍વતી સન્‍માન સમારોહ મવડી-કણકોટ રોડ ખાતે યોજાયેલ હતો. જેમાં સૌરાષ્‍ટ્રના જાણીતા પહાડી કંઠના લોકગાયક અને હાસ્‍ય-લોકસાહિત્‍યકાર કૌશિક મહેતા (ભૂ-દેવ) (મો. નં. ૩૯૭૪પ ૯પ૯ર૩) નો ‘‘હાસ્‍ય લોકસાહિત્‍યના'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમના મુખ્‍ય આમંત્રિત તરીકે ભાનુબેન બાબરીયા (કેબીનેટ મંત્રી) ગીતાબા જયરાજસિંહ જાડેજા (ધારાસભ્‍ય-ગોંડલ) નરેશભાઇ પટેલ (ખોડલધામ-ચેરમેન), પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઇ બોઘરા (જસદણ), પૂર્વ સાંસદ સભ્‍ય તથા ગૌ-સેવા આયોગ ગાંધીનગરના પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, અતિથી વિશેષ તરીકે પૂજય ભકિત સ્‍વામીજી-ખીરસરા (શ્રી સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ) તથા સમસ્‍ત હળવદ બ્રહ્મસમાજના પ્રમુખ અને સમગ્ર ભારત દેશ બ્રહ્મસમાજના આગેવાન અને ભા.જ.પ. જનસંઘ વખતના રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના કાર્યકરો સૌરાષ્‍ટ્ર-ગુ઼જરાતના સીનીયર રેવન્‍યુ પ્રેકટિશ્‍નર સુપ્રસિધ્‍ધ એડવોકેટ અને નોટરી શ્રી જયેશભાઇ જી. જાની ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં. આ તકે હરિભકત શ્રી વસંતભાઇ લીંબાસીયાએ પોતાના કંઠે ભગવાન સ્‍વામિનારાયણનું કિર્તન કર્યું હતું. 

(5:00 pm IST)