Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

રૈયા રોડ પર માલણમા મંદિરે શનિ જન્‍મોત્‍સવની ભાવભેર ઉજવણી

રાજકોટ તા. ૩૦ : શ્રી માલણમાં મંદિર, શ્રી મામા સાહેબની જગ્‍યા, રૈયા રોડ ખાતે શનિદેવના મંદિરે આજે તા. ૩૦ ના શનિ જન્‍મોત્‍સવની ઉજવણી ધામધુમથી થશે. આ સોમવારી અમાસની સંધ્‍યાએ મહંતશ્રી સર્વેશ્વરદાસ જાનકીદાસ કાઠીયાબાપુ દ્વારા શનિ મહારાજનું પૂજન કરાશે. ત્‍યાર બાદ મહાઆરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મંદિરે દરરોજ સાંજે આરતી બાદ મહાપ્રસાદરૂપે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.

આજે શનિ જન્‍મોત્‍સવની વિશેષ આરતીમાં ધર્મપ્રેમીજનોએ પધારવા મહંતશ્રી સર્વેશ્વરદાસ જાનકીદાસ કાઠીયાબાપુની યાદીમાં જણાવાયુ છે.

(4:09 pm IST)