Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

બાગેશ્વરધામઃ પ્રજાપતિ જ્ઞાતિજનો માટે રહેવા - જમવાની સુવિધા

રાજકોટઃ અહિંના રેસકોર્ષમાં બાગેશ્વર ધામ ખાતે શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારના કાર્યક્રમમાં આવનાર (નવ ગોળ) પ્રજાપતિ ભાઈ- બહેનો માટે રહેવાની વ્યવસ્થા શ્રી સમસ્ત પ્રજાપતિ વરીયા વૈષ્ણવ જ્ઞાતિ મહામંડળ- રાજકોટ ૧૨ બજરંગવાડી જામનગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

આ સ્થળે રહેવા માટે પ્રજાપતિ બંધુઓએ જે તે ગોળના હોદ્દેદારો- આગેવાનો મારફત નોંધણી કરાવવાની રહેશે તથા પોતાના ઓળખપત્રની ઝેરોક્ષ આપવાની રહેશે જેની નોંધ લેવા વિનંતી કરાઈ છે. વધુ વિગતો માટે મો.૯૫૮૬૨ ૯૮૨૮૬ ઉપર સંપર્ક કરવો.

(4:33 pm IST)