Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

બાલભવન ખાતે ઉનાળુ વેકેશન વર્કશોપ

 ઉનાળાના વેકેશનમાં બાલભવન ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ બાળકો માટે વર્કશોપ ગોઠવવામાં આવેલ. જેમાં પ થી ૧૬ વર્ષના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. બાલભવનના માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્‍ટી ડો. અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન)ના માર્ગદર્શન હેઠળ બાલભવનના ઓફીસ સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટ કિરીટભાઇ વ્‍યાસ તથા બાલભવનની ટીમ દ્વારા આયોજીત આ જુદા જુદા વર્કશોપમાં ૨૫૦ જેટલા બાળકોએ મનપસંદ વિષયોની વિશેષ તાલીમ મેળવી હતી. યોગા, કરાટે, ડાન્‍સ, ચેસ, નાટય, એકટીંગ અને દેશી રમતોનો તેમા સમાવેશ કરાયો હતો. વર્કશોપમાં મીનાક્ષીબેન પટેલ, રણજીતભાઇ ચૌહાણ, દુર્ગાબેન બાવીશી, મહેશભાઇ ચૌહાણ, નિર્લોકભાઇ પરમાર, એચ.આર. રાબા દ્વારા બાળકોને વિવિધ વિષયોની તાલીમ અપાઇ હતી. સમાપન દિવસે તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.

(5:05 pm IST)