Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

વલસાડની એક કંપનીમાં બ્‍લાસ્‍ટઃ ૩ના મોત : ૨ ઇજાગ્રસ્‍ત

બ્‍લાસ્‍ટ થવાનું કારણ પણ જાણી શકાયુ નથી

વલસાડ,તા. ૨૮: જિલ્લામાં મોડી રાત્રે સરીગામ GIDCની એક કંપનીમાં થયેલા બ્‍લાસ્‍ટમાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્‍ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા છે. પોલીસે જણાવ્‍યા મુજબ હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી અને બ્‍લાસ્‍ટનું કારણ પણ જાણી શકાયું નથી.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને આગ ઓલવવા જહેમત આદરી હતી, જો કે ત્‍યાં સુધીમાં આ આગની ઝપેટમાં બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા. ઈજાગ્રસ્‍ત થયેલા લોકોને હાલ નજીકની હોસ્‍પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્‍યા છે.

તો આ પહેલા ભાવનગરના રૂવાપરી માતાના મંદિર વિસ્‍તાર નજીક આવેલી સુમિટોમો કંપનીમાં બ્‍લાસ્‍ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બ્‍લાસ્‍ટ થતાની સાથે જ તાત્‍કાલિક કંપનીના ફાયર બ્રિગેડ યુનિટ અને ભાવનગર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.આપને જણાવી દઈએ કે, બ્‍લાસ્‍ટ થયો ત્‍યારે પ્‍લાન્‍ટમાં કુલ ૭ કામદાર કામ કરી રહ્યા હતા.એક કામદાર ૨૫ ટકા તો અન્‍ય કામદાર ૫ ટકા દાઝ્‍યો હતો.જયારે બાકીના કામદારોને ભાગદોડમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

(11:28 am IST)