Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જામનગર સીએ બ્રાન્‍ચના નવા હોદ્દદારોની વરણી

જામનગર : જામનગર : સીએ બ્રાન્‍ચના હોદેદારોની તા. ૨૪ ના રોજ વર્ષ ૨૦૨૩-૨૦૧૨૪ માટે નિમણૂંક પૂર્ણ થયેલ હતી.  જામનગર સીએ બ્રાન્‍ચની સ્‍થાપના વર્ષ ૨૦૦૨ માં થઈ હતી. જેમાં સૌથી નાની વયે બીજા એવા પ્રતિભાશાળી યુવાન એવા ચેરમેન તરીકે CA. પ્રતિક ચાંદ્રા નિયુક્‍ત થયેલ છે તથા CA. પ્રિતેશ મહેતા - વાઇસ ચેરમેન, CA. હરદીપસિંહ જાડેજા - સેક્રેટરી, CA. જયદીપ રાયમંગીયા - ટ્રેઝરર તથા CA. મહમદ સફ્રી કુરેશી - જામનગર બ્રાન્‍ચ ઓફ વિકાસા ના ચેરમેન તથા CA. દીપાબેન ગોસ્‍વામી ઇમિજીએટ પાસ્‍ટ ચેરપર્સન તરીકે કાર્ય કરશે.  તેમ બ્રાન્‍ચ ઓફ WIRC ઓફ ICAIના સેક્રેટરી CA.હરદિપસિંહ જાડેજાની યાદીમાં જણાવેલ છે. (તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

(12:43 pm IST)