-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના એમ.ડી. જયસુખ પટેલની વચગાળાના જામીનપર છુટવા અરજી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા ૧ : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહીત કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે ત્યારે ૨૦ દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે આજે વચગાળાની જામીન અરજી કરી છે
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના સમયથી ફરાર રહેલા જયસુખભાઈ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કરતા જેલહવાલે કરવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસે આરોપીનો કબજો મેળવી રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી જે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી તેમને સબ જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે ૨૦ દિવસથી જેલમાં બંધ જયસુખ પટેલે કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી છે
મોરબીની કોર્ટમાં જયસુખ્ભાઈ પટેલે આજે વચગાળાની જામીન માટે અરજી કરી છે જેમાં તેમના તરફેના વકીલે કોર્ટમાં દલીલો કરી હતી કે હાઇકોર્ટ દ્વારા પીડિતોને વળતર ચુકવવા જે આદેશ કરાયો છે જેના માટે તેઓને બેંકના કામકાજ સબબ બહાર નીકળવું પડે તેમ હોય જેથી વચગાળાના જામીન આપવામાં આવે તેવી અરજી કરી છે ત્યારે કોર્ટે દલીલો સાંભળી વધુ સુનાવણી તારીખ ૦૪ માર્ચના રોજ મુકરર કરી છે અને હવે તા. ૦૪ માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.