Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

જુનાગઢ લોહાણા મહાજનની વ્‍યવસ્‍થાપક સમિતિનું ત્રીવાર્ષિક સંમેલન યોજાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧:  જુનાગઢ લોહાણા મહાજનની વ્‍યવસ્‍થાપક સમિતિનું ૫ માર્ચના રોજ ત્રીવાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ સંમેલનમાં આગામી ત્રણ વર્ષ માટેના હોદ્દેદારોની નિમણૂક ,સંસ્‍થાની પ્રવળત્તિ અને હિસાબી અહેવાલો તથા બંધારણ સુધારાની રજૂઆતો અંગેના ઠરાવોની ચર્ચા કરવામાં આવશે. લોહાણા મહાજન વાડીમાં રવિવારે વ્‍યવસ્‍થાપક સમિતિનું ત્રીવાર્ષિક સંમેલન  અંતર્ગત બંધારણ સુધારો રજૂ કરવા ઈચ્‍છતા જ્ઞાતિજનોએ મુસદ્દો શનિવાર સુધીમાં લોહાણા મહાજનવાડી કચેરીએ મોકલી આપવા  તેમજ રવિવારે બપોરે ૩ વાગે યોજાનારા સંમેલનમાં  જ્ઞાતિજનોએ  ઉપસ્‍થિત રહેવા લોહાણા મહાજન  પ્રમુખ મહેન્‍દ્રભાઈ મશરૂએ યાદીમાં જણાવ્‍યું છે.

(1:52 pm IST)