Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

આટકોટનાં અકીલાનાં પત્રકાર વિજય વસાણીએ કોરોના વેકસીન લીધી : લોકોને વેકસીન લેવા અપીલ

આટકોટ,તા. ૨: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મિડીયાના મિત્રોને કોરોના રસી આપવા આપેલી સુચના અન્વયે અને પત્રકારો પણ કોરોના વોરીયરસ ગણાતા હોય આટકોટનાં અકીલાનાં પત્રકાર વિજય વસાણીએ આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસી મુકાવી હતી.

રાજયમાં જસદણ અને વિછીયા પંથકમાં કોરોના રસીકરણ ઓછુ હોય લોકોને વેકસીન લેવા અને કોરોનાને હરાવવા અપીલ કરી હતી.

તેમણે જસદણ અને વિછીયા પંથકના ગામેગામના સરપંચો અને આગેવાનોને આગળ આવી લોકોને વેકસીન લેવા પ્રેરણા આપી દરેક ગામમાં વેકસીન કેમ્પનુ આયોજન કરી તંત્રને મદદ કરવા અપીલ કરી છે.

(10:26 am IST)