Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સુરેન્દ્રનગર સબ જેલ ખાતે બંદીવાન ભાઇ બહેનોને રસી

વઢવાણ : સુરેન્દ્રનગર સબ જેલ ખાતે જેલ ખાતાના વડા મે. અધિક પોલીસ મહાનિદેશક, જેલ ડે. કે.એલ.એન રાવના માર્ગદર્શન હેઠળ જેલમાં રહેલા બંદીવાન ભાઇ બહેનોની આરોગ્ય સલામતી માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રી પી.કે. પરમાર , સિવિલ સર્જન ડો. વસેટીયન , બી.કે.વાઘેલા, ડો, આરતીબેન સીંધવ, ડો, શૈલેશભાઈ મીઠાપરા તથા અર્બન હેલ્થ સેન્ટરના પેરા મેડીકલ ટીમના સહકારથી ૧૮૨ બંદીવાન ભાઇ -બહેનોને કોરોના રસી મુકવામાં આવેલ હતી. અગાઉ તા. ૧૫/૦૩/૨૦૨૧ ના રોજ ૪૫ વર્ષથી વધુ ઉંમરના ૨૦ બંદીવાન ભાઇ બહેનોને રસી આપવામાં આવેલ હતી. કોરોના વેકશીનનો કેમ્પ સફળ બનાવવામાં ઇ.ચા.અધિકાક શ્રી એચ. આર.રાઠોડ, ઇ.ચા. જેલરશ્રી પી.એમ. ચાવડા તથા જેલ સ્ટાફ નાઓનો સહકાર રહેલ હતો.(તસ્વીર : ફઝલ ચૌહાણ,વઢવાણ)

(11:45 am IST)