Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

કેશોદના પાડોદરમાં યુવાનની બેરોજગારીથી કંટાળીને આત્મહત્યા

ટ્રેન નીચે પડતુ મુકીને મોતને મીઠું કયુ*

(વિનુ જાશી) જૂનાગઢ તા. ૨ : કેશોદના પાડોદરના ઍક યુવાને બેરોજગારીથી કંટાળીને ટ્રેન નીચે પડતુ મુકીને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

કેશોદ તાલુકાના પાડોદર ગામના ૨૮ વર્ષીય મિલનભાઇ કારાભાઇ સોલંકી નામના યુવાને બુધવારની સાંજે કેશોદ પાસે જબલપુર ટ્રેન નીચે ઝંપલાવીને મોતને મીઠું કરી લીધું હતું.

આ અંગેની જાણ થતાં પોલીસે દોડી જઇ તપાસ કરતા રેલવે ટ્રેક પાસેથી મૃતકનું બાઇક તેમજ લીવીંગ સર્ટીફીકેટ, માર્કશીટ સહિતના ડોક્યુમેન્ટની ફાઇલ મળી આવી હતી.

મરનાર મિલન સોલંકી ‘નોકરી માટે ફોર્મ ભરવા જાઉ છું’ તેમ કહી ઘરેથી નીકળ્યા બાદ આપઘાત કર્યાનું ખુલતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(4:30 pm IST)