Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

જામનગરમાં બીઍપીઍસ દ્વારા વ્યસન મુક્તિ અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧ : હાલ સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્નાં છે . દિલ્હી અને ગાંધીનગર સ્થિત બી.ઍ.પી.ઍસ. સ્વામિનારાયણ અક્ષરધામના રચિયતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર હતું - બીજાના ભલામાં આપણું ભલું છે , બીજાના સુખમાં આપણું સુખ છે. આ જ જીવનભાવના સાથે તેઓઍ પોતાના જીવનકાળ દરમિયાન ૪૦ લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કર્યા હતા . તેમની -ેપ્રેરણાથી બી.ઍ.પી.ઍસ. સંસ્થા દ્વારા દેશ - વિદેશમાં ૧૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે . વીજળી અને પાણીની બચત માટે તેઓઍ પોતાના જીવન દ્વારા અનેકને પ્રેરણાઓ આપી છે . આવા સંત -પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બી.ઍ.પી.ઍસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળ - બાલિકા પ્રવૃત્તિ દ્વારા ‘‘ વ્યસનમુક્તિ અભિયાન’’ અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મે મહિનામાં કરવામાં આવ્યું હતું .

પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બી.ઍ.પી.ઍસ. સંસ્થાના ૧૬,૦૦૦ બાળકોના ૪૨૦૦ વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા હતા . ઘર , દુકાન , ઓફીસ , ફેક્ટરી , બસ સ્ટેશન, જાહેર સ્થળો વગેરે જગ્યાઍ ફરીને આ બાળકોઍ ૧૪ લાખ જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો હતો . દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાળકોઍ વ્યસનથી થતા નુકસાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી .

તારીખ ૮ મે થી ૨૨ મે દરમિયાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોઍ કરેલા વિનમ્ર -યાસના પરિણામે દેશભરના ૪ લાખ વ્યક્તિઓઍ આજીવન વ્યસનમુક્ત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી . આ ઉપરાંત ૧૦ લાખ જેટલા લોકોઍ અન્યને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો . વ્યસનમુક્તિ અભિયાનની સમાંતર બી.ઍ.પી.ઍસ. સંસ્થાની ૧૪,૦૦૦ બાલિકાઓના ૩૩૦૦ વૃંદ દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ સંવર્ધન અભિયાનયોજાયું . દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાલિકાઓઍ ઘરોઘર જઈને ૧૨ લાખ જેટલા લોકોને મુખ્ય ત્રણ સંદેશ આપ્યા . ૧. પાણી બચાવો . ૨. વીજળી બચાવો . ૩. વૃક્ષ વાવો . આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાઓ ભરી શકે તે માટે બાલિકાઓ સૌને માર્ગદર્શન અન પે્રરણાઓ આપી હતી . સતત ૧૫ દિવસ ચાલેલા આ અભિયાનના પરિણામે ૧૦ લાખ લોકો પાણી - વીજળીના બચાવ માટે અને ૬ લાખ લોકો વૃક્ષોના વાવેતર અને જતન માટે કટિબદ્ધ થયા હતા .

 સાથોસાથ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌઍ સંકલ્પ કર્યો હતો . ગુજરાત , મહારાષ્ટ્ર , રાજસ્થાન , દિલ્હી , પંજાબ , ઉત્તર પ્રદેશ , મધ્યપ્રદેશ , પડ્ઢિમ બંગાળ , કર્નાટક વગેરે રાજ્યોમાં યોજાયેલા આ અભિયાન બાદ તારીખ ૩૧ મે ૨૦૨૨ ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઁ ઉપક્રમે સમગ્ર ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાં ૧૦૦ જેટલી વિરાટ વ્યસનમુક્તિ રેલીનું આયોજન થયું હતું . પ્રેરણાત્મક પ્રદર્શન , રચનાત્મક ફલોટ્સ , બાળ - બાલિકાઓ દ્વારા થતા સૂત્રોચ્ચાર દ્વારા વ્યસનમુક્તિ માટે સમાજ જાગૃતિનું વિરાટ કાર્ય થયું હતું .

 વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સમગ્ર દેશમાં ૫૦,૦૦૦ જેટલા બાળકો - બાલિકાઓ આ રેલીમાં ભાગ લીધો હતો . આ રીતે આ બાળ - બાલિકાઓઍ કુલ ૨૬ લાખ જેટલા લોકોનો સંપર્ક કરીને પ્રકૃતિ સંવર્ધન અભિયાનઅને વ્યસનમુક્તિ અભિયાન દ્વારા સમાજ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય કર્યું હતું . આ અભિયાનના પરિણામે સમાજને તો લાભ થશે જ , પરંતુ ઍ સાથે અભિયાનમાં જોડાયેલા બાળ - બાલિકાઓને આજીવન વ્યસનમુક્ત રહેવાના અને વીજળી , પાણી અને વૃક્ષોનું સંવર્ધન કરવાના પાઠ શીખવા મળ્યા હતા . સેલ્ફ કોન્ફીડન્સ , કોમ્યુનીકેશન , લીડરશીપ , ટીમવર્ક વગેરે જેવી સુષુ શક્તિઓ આ બાળ - બાલિકાઓમાં અભિયાનના પરિણામે ખીલી હતી . દેશહિત માટે કંઈક કરી છૂટવાના , સમાજની નિઃસ્વાર્થ સેવાના , ગુરુને રાજી કરવાના ઉચ્ચતમ આદર્શોના બીજ આ બાળ બાલિકાઓના અંતરમાં રોપાયા . બી.ઍ.પી.ઍસ.ના બાળ - બાલિકાઓ આ અભિયાન દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સમાજઉત્કર્ષ માટે કરેલા કાર્યોના પગલે પગલે ચાલ્યા છે . ભારત દેશના ભવિષ્યના આ ઘડવૈયાઓઍ આઝાદીના અમૃત વર્ષે દેશના ઉજ્વળ ભવિષ્ય માટે કરેલું સમાજ ઉત્કર્ષનું આ વિરાટ કાર્ય -પ્રશંસનીય છે .

 સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં યોજાયેલ આ અભિયાન જામનગર શહેર માં પણ યોજાયા હતા . જેમાં ૭૦ બાળકો અને ૮૦ બાલિકાઓઍ કુલ ૧૬૭૬૩ વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો . આ પ્રસંગે બી.ઍ.પી.ઍસ. સ્વામીનારાયણ મંદિર દ્વારા વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનમાં જોડાયેલા બાળકો અને બાલિકા દ્વારા વિશાળ રેલીનું આયોજન જામનગર શહેર ના રાજમાર્ગ પર વિશ્વ ટોબેકો નિષેધ દિન તા . ૩૧/૦૫/૨૦૨૨ ના દિવસે કરવામાં આવ્યું હતું . પૂ . ધર્મનિધિ સ્વામી પૂ . દેવ-પ્રસાદજી મહારાજ ઍ વિધિવત પૂજન વિધિ કરી રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું . (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(4:52 pm IST)