Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મોરબીમાં વણકર સમાજની વાડીએ કોરોનાના કપરા કાળમાં ૩૦૭ પ્રસંગો સુખરૂપ સંપન્ન કરાયા: ટોકન દરથી વાડી આપીને સામાજિક પ્રસંગો પાર પાડ્યા

મોરબી-માળિયા અને ટંકારા વણકર સમાજ સેવા સમિતિ દ્વારા કોરોનાના કપરા કાળમાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે અને આફતને અવસરમાં ફેરવીને સમાજના વડીલો દ્વારા ભડિયાદ રોડ ખાતે આવેલ સમાજવાડીમાં ઓગસ્ટ ૨૦૨૦ થી ઓગસ્ટ ૨૦૨૧ ના સમય દરમ્યાન ૩૦૭ પ્રસંગો સંપન્ન કરાવ્યા છે
જેમાં ૧૮૧ સગાઇ-ચાંદલાના, ૧૦૩ લગ્ન પ્રસંગો તેમજ ૨૫ સમાધાન અને અન્ય સામાજિક વિધિવિધાનો મળીને કુલ ૩૦૭ પ્રસંગો સુખરૂપ સંપન્ન કરાવ્યા છે સેવા સમિતિના પ્રમુખ રામજીભાઈ ધાવડા, ઉપપ્રમુખ દાનાભાઈ ચૌહાણ, મંત્રી જે ડી સોલંકી, સહમંત્રી દિનેશભાઈ પરમાર, ખજાનચી કે કે ભંખોડીયા અને સમિતિના સદસ્યોએ સેવાકાર્યમાં સહયોગ આપ્યો છે

(4:23 pm IST)