Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વાંકાનેરના વરડુસર ગામે પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેર તાલુકાના વરડુસર ગામ પાસે યુવક અને યુવતીનો ગળાફાંસો ખાઈને આપઘાત કરતા મૃતદેહને ફોરેનસિક પી.એમ માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામ પાસે ઝાડ ઉપર યુવક અને યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો જાણ થતા તાલુકા પોલીસને ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી સ્થળ પરથી માનસિંગભાઈ દિનેશભાઈ સેતાણીયા (૨૫) ( રહે વરડુસર) અને શિલ્પાબેન મનસુખભાઈ સારલા (૨૨)(રહે, ભીમગુડા)  બનેના મુર્તદેહ મળી આવ્યા હતા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને બંને મૃતક મૃતદેહને ફોરેન્સીક રિપોર્ટ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે

 આ અગેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસના હકાભાઇ ચૌહાણ ચલાવી રહ્યા છે તેમેણ જણાવ્યું હતું કે મૃતક યુવાન અને યુવતી તારીખ ૧૨/૭/૨૧ ના રોજથી ગુમ થયા હતા અને તેને શોધવા માટેની પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા આ બંન્નેના મૃતદેહ આપઘાત કરેલી હાલતમાં મળી આવેલા છે

 વધુમાં તેમણે જણાવ્યું હતું કે મૃતક માનસિંગ દિનેશભાઈ સેતાણીયા પરિણીત છે અને તેને એક સંતાન પણ છે તો યુવતી અપરણિત છે તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ પ્રેમી પંખીડા હોવાનું હાલ જાણવા મળ્યું છે પણ આ પ્રેમને સમાજ મજુર નહી આપે જેથી બને આપઘાત કર્યો હોવાનું હાલ લાગી રહ્યું છે પણ આ અગે પોલીસે નોધ કરી આગળની તપાસ શરુ કરી છે

(4:31 pm IST)