Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

આદિત્યાણામાં ૩ ઇંચઃ મુરઝાતા પાકને જીવતદાન

(પ્રકાશ પંડિત દ્વારા) આદિત્યાણા તા.ર : મેઘરાજાએ લાંબા વિરામ બાદ કૃપા વરસાવતા ગઇકાલ રાત્રીથી આજે સવાર સુધીમાં ૩ ઇંચ વરસાદ વરસી જતાં મુરઝાય રહેલો પાક બચી ગયેલ અને ખેડુતો ખુશ થયા છે.

ગઇરાતથી ચાલુ થયેલ વરસાદ વહેલી સવાર સુધીમાં ૩ ઇંચ વરસી ગયેલ છે. ૪૮ કલાકમાં કુલ પ ઇંચ વરસાદ વરસતા ખેડુતો ખુશખુશાલ થઇ ગયેલ છે. મુરઝાતી મોલાતને જીવતદાન મળતા જગતના તાતે હાશકારો અનુભવેલ છે.

બરડા ડુંગરમાં અને પોરબંદરને પાણી પુરૂ પાડતા ખંભાડા અને ફોદારા ડેમ વિસ્તારમાં ર૪ કલાકનો ૪૦ મી.મી. નોંધાયેલ છે અને ડુેમમાં પાણીની આવક નહીવત જેવી થયેલ છે.

(12:56 pm IST)