Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રાત્રે ભવનાથમાં બે સિંહોએ એક ગાયનો કર્યો શિકાર

લોકોએ બિન્દાસ્ત માણ્યું સિંહદર્શન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર  : રાત્રે જુનાગઢનાં ભવનાથમાં બે સિંહોએ એક ગાયનો શિકાર કર્યા હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો  છે. પરંતુ કેટલાક લોકોએ કારની લાઇટ ફેકીને પરેશાન કરતા બંને સિંહો શિકાર અધુરો છોડીને જંગલ તરફ જતા રહયા હતા.

ગિરનાર જંગલ છોડીને સિંહો સહિતના વન્ય પ્રાણીઓ શિકાર, પાણીની શોધ માટે અવાર નવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. આ પ્રમાણે ગત રાત્રે ભવનાથમાં બે સિંહોએ આવી ચડીને રોડ કાંઠે એક ગાયનો શિકાર કર્યો હતો.

રસ્તાની બાજુની શિકારની ઘટનાથી લોકોએ તેમના કાર સહિતના વાહનો રોકીને સિંહ દર્શન માણ્યું હતુ. આ અંગેનો વાયરલ થયેલો વિડીયો કેટલાંક લોકો કારમાં બેસીને સિંહ દર્શન કરતા હોવાનું માલુમ પડયુ હતુ.

પરંતુ એક કાર ચાલકે તેમની કાર સિંહો તરફ હંકારી તેના પર લાઇટનો પ્રકાશ ફેકતા અને કેટલાક હાકલા પડકાર કરતાં સિંહોએ ગાયનો શિકાર અધુરો છોડી દીધો હોવાનું વાયરલ વિડીયોમાં જોવા મળ્યું હતુ.

પરંતુ બંને સિંહો ગાયનો શિકાર મુકીને જંગલ તરફ જતા રહયા હતા અને જતા જતા પણ સિંહોએ વાહન ચાલક સાથે જોઇને પોતાની નારાજગી વ્યકત કરી હતી.

વિશ્વ હિન્દુ પરિષદને મધરાતે ફોન આવેલો હતો કે ભવનાથ વિસ્તારમાં એક ગાયને સિંહોએ ગંભીર ઇજા પહોંચાડેલી છે. ત્યારે સારવાર કરવાની છે ત્યારે કાર્યકર્તાઓ ડો. વિકીભાઇ, ભાવેશ જેઠવા, દિપતેસિંહ ચુડાસમા, હાર્દિકભાઇ મણીયાર, રોહીતભાઇ સોલંકી, તન્મયભાઇ ચોલેરા સહિતના કાર્યકર્તાએ જઇ વિશ્વ હિન્દુ પરિષદની ગૌરક્ષા ટીમ દ્વારા એક ગાયનો બચાવ થયો હતો. તેમજ સ્થળ ઉપર તાત્કાલીક સારવાર પણ થઇ હતી.

(12:59 pm IST)