Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ગોંડલના યુવા ગૃપનુ સરાહનીય કાર્ય ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ નિમિતે દિવ્‍યાંગ અનાથ તથા વૃધ્‍ધોને ભોજન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૩: ગોંડલના સહજાનંદ નગરમા સેવાકીય પ્રવૃતિઓ ચલાવતા યસ ગૃપ તથા મહીલા મંડળ દ્વારા તાજેતરમા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરાયુ હતુ. આ નિમિતે યસ ગૃપ દ્વારા જુનાગઢ પાસેના વિજાપુર આવેલા આશ્રમમાં ૭૭ દિવ્‍યાંગ તથા ૪૪ અનાથ બાળકોને ભોજન કરાવ્‍યુ હતુ. એટલુ જ નહી યસ ગૃપના દશરથસિંહ જાડેજા,હરપાલસિહ રાણા,ભાવેશભાઈ ઠાકર,રાજદિપસિહ ઝાલા,અનિરુધ્‍ધસિંહ ઝાલા, દેવેન્‍દ્રસિંહ જાડેજા, અનિરુધ્‍ધસિંહ જાડેજા સહિતના યુવાનો દિવ્‍યાંગ અનાથ બાળકો જોડે દિવસભર રહી સ્‍નેહ વરસાવ્‍યો હતો. વધુમા જેતપુર પાસેના વૃધ્‍ધાશ્રમમાં પહોંચી ભોજન સેવા આપી સરાહનીય કાર્ય કર્યુ હતુ.

(10:46 am IST)