Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જામનગર પાસે સપડા સિધ્‍ધિવિનાયક મંદિરે કાલે વૈશાખ ગણેશ ચતુર્થી મહોત્‍સવ

જામનગર, તા.૩: સપડાના સુપ્રસિધ્‍ધ સિધ્‍ધિ વિનાયક મંદિરે આવતીકાલે તા.૪ના રોજ બુધવારે વૈશાખ ગણેશ ચતુર્થી મહોત્‍સવનું આયોજન કરેલ છે.

સપડાના સિધ્‍ધિ વિનાયક મંદિરે તા.૪ બુધવારે વૈશાખ ગણેશ ચતુર્થી મહોત્‍સવ સવારે ૭.૩૦ થી શરૂ થશે. વૈશાખ ગણેશ ચતુર્થીએ ગણપતી મહારાજની પુજા-અર્ચના તથા હોમાત્‍મક હવનનું આયોજન કરેલ છે. હવનના મુખ્‍ય યજમાનપદે સ્‍નેહલભાઇ મનસુખભાઇ ગોહિલ બિરાજશે. મહોત્‍સવમાં મંગળા આરતી સવારે ૬ વાગ્‍યે, ધ્‍વજાપુજન સવારે ૭ વાગ્‍યે, નવગુરૂ પુજન સવારે ૭.૩૦ તથા મહાયજ્ઞ પ્રારંભ સવારે ૮.૩૦ વાગ્‍યે કરાશે. મહાપ્રસાદ બપોરે ૧૨.૩૦ વાગ્‍યે રાખેલ છે. એ પહેલા ગણપતીનો થાળ સવારે ૧૧.૩૦ વાગ્‍યે ધરાશે. યજ્ઞમાં બીડુ બપોરે ૧૨ વાગ્‍યે હોમાશે.

(10:49 am IST)