Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરમાં અખાત્રિજના પર્વે કેરીના શણગાર-મારૂતિ યજ્ઞનું આયોજન

વાંકાનેર,તા. ૩ : શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્‍યાત સાળંગપુરધામમાં શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે અખાત્રીજના પવિત્ર દિન નિમિતે તા. ૩/૫/૨૦૨૨ને મંગળવારે રોજ પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની દાદાને દિવ્‍ય વાઘનો શણગાર કરી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પુજારી સ્‍વામી દ્વારા એવં દાદાના સિંહાસનને કેરીઓ વડે કેરીનો આકાર આપી શણગાર કરવામાં આવેલ.

સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્‍વામી દ્વારા કરવામાં આવેલ. એવં બપોરે ૧૧:૧૫ કલાકે કેરીનો અન્‍નકૂટ ધરાવવામાં આવેલ તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ. જેનો હજારો ભકતોએ આ અનેરા દર્શનનો salangpur Hanumanji- official યુટયુબ ચેનલ દ્વારા ઓનલાઇન તથા પ્રત્‍યક્ષ લાભ લઇ ધન્‍યતાનો અનુભવ કરેલ છે.

(11:18 am IST)