Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

અમરેલીમાં સ્‍વ. ચંદુભાઇ સંઘાણીને શ્રધ્‍ધાંજલી અર્પતા આગેવાનો

અમરેલી : શાળાઓમા અભ્‍યાસ કરતા બાળકોના સ્‍વાસ્‍થની સતત ચિંતા કરતા ચંદુભાઈ સંઘાણીએ બાલમંદિરમા પ્રવેશતા નાના-નાના ભૂલકાઓના બ્‍લડ ગૃપની નોંધ તેમની શાળાના રેકર્ડમા અને તેમના વાલીઓને સરળતાથી થાય તે માટેની પ્રવૃતિ હાથ ધરીને એલ.સી.મા તે કોલમ ઉમેરવાનો ઉમદા પ્રયાસ કરેલ જેના થકી માતા-પિતા પણ જાણી શકે કે તેમના સંતાનનુ બ્‍લડ કયુ છે આવી અનેક સામાજીક અને લોકપયોગી સેવાપ્રવૃતિના વાહક ચંદુભાઈ સંઘાણીના અવસાન બદલ શોકમા ગરકાવ સંઘાણી પરિવારને સહાનુભૂતિ અને શાંત્‍વના પાઠવવા અમરેલી ખાતે અનેક મહાનુભાવો - આગેવાનો આવી રહયા છે જેમા કેન્‍દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, પૂર્વ મંત્રીઓ ભુપેન્‍દ્રસિંહજી ચુડાસમા, ગણપતભાઈ વસાવા, જસપ્રિતસિહ, આણંદ કૃષિ યુનિ.વાઈસ ચાન્‍સેલર કથીરીયા, પ્રાગજીભાઈ પટેલ, પ્રતાપભાઈ દુધાત, પ્રશાંતભાઈ કોરાટ, ડો. કનુભાઈ કલસરીયા, મુકેશભાઈ ફતેપુરા, હિંમતભાઈ સોજીત્રા, રામ બીલાસ શર્મા, અજય શર્મા તેમજ અધિકારીગણ સહિત વિવિધ  ક્ષેત્રના આગેવાનોએ સંઘાણી પરિવારને શાંત્‍વના પાઠવી હતી. (તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી)

(1:43 pm IST)