Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

બગદાણામાં આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં પૂ. મનજીબાપાની ઉપસ્‍થિતી

રાજકોટ : ભાવનગર જીલ્લાના પવિત્ર યાત્રાધામ બગદાણા પૂ. બજરંગદાસબાપાના સાનિધ્‍યમાં જલાલપુરવાળા શાષાી અલ્‍પેશભાઇ દવેના વ્‍યાસાસને તા.૧ થી તા.૭ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે. ગઇકાલે પોથીયાત્રા સાથે ભાગવત કથાનો પ્રારંભ થયો હતો. કથામાં બગદાણા પૂ. બજરંગદાસબાપા મંદિરના પૂ. મનજીબાપા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો.

શ્રીમદ્દ ભાગવત કથામાં કાલે તા.૩ ના વામન પ્રાગટય તા.૪ને શનીવારે શ્રીરામ જન્‍મ, શ્રી કૃષ્‍ણ જન્‍મ, તા.પને રવિવારે ગોવર્ધન લીલા, તા.૬ને સોમવારે શ્રીકૃષ્‍ણ-રૂક્ષ્મણી વિવાહ, તા.૭ને મંગળવારે સુદામા ચરિત્ર તથા તા.૭ને મંગળવારે પુર્ણાહુતિ હોમ થશે. દરરોજ સવારે૮.૩૦ થી ૧૧.૩૦ અને બપોરે ૩.૩૦ થી ૬ વાગ્‍યા સુધી ભાવિકો કથા શ્રવણનો લાભ લઇ શકશે. કથા સ્‍થળે દરરોજ બપોરે ૧ર થી ર પ્રસાદનું આયોજન કરાયું છ.ે કથાની વધુ વિગત માટે જીજ્ઞેશભાઇ દવેના (મો. ૯૪ર૮ર પ૪૭૦ર) ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(11:45 am IST)