Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જગન્‍નાથ મંદિરે અખિલ ભારતીય સંત સમિતિની બેઠક

(બી. એમ. ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ૩ :.. અખિલ ભારતીય સંત સમિતિ પ્રદેશ અધ્‍યક્ષ નૌતમસ્‍વામીજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અખિલ ભારતીય સંત સમિતિના સંગઠનનું અભિયાન ચાલી રહ્યું છે.

જે અંતર્ગત તા. ૬ ના રોજ સંતોની બેઠક નાના મૌવા શ્રી જગન્નાથ મંદિર યોજાશે. જેમાં સમિતિનો પરિચય અને મુખ્‍ય ઉદેશો ધર્મરક્ષા, રાષ્‍ટ્ર રક્ષા, ગૌ-ગંગા રક્ષા, હિન્‍દુધર્મ સંસ્‍કૃતિની રક્ષા માટે સંતોના સંગઠન અને હિન્‍દુ સમાજમાં ધર્મજાગરણના મહત્‍વ અંગે ચર્ચા કરાશે.

સૌરાષ્‍ટ્ર પ્રાંતના અધ્‍યક્ષ રાજેન્‍દ્રદાસ બાપુની પ્રેરણાથી જિલ્લા અધ્‍યક્ષ ભકિત સ્‍વામીજીએ હિન્‍દુ ધર્મની સેવા અર્થે કટિબધ્‍ધ થવાના સંકલ્‍પ માટે સંતો મહંતોને આહવાહન કર્યુ છે. સફળ બનાવવા મહંત મનમોહનદાસજીએ જહેમત ઉઠાવી છે.

(11:50 am IST)