Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મીઠાપુરમાં અલ હૈદરી એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શાદી-સમુહ લગ્ન તેજસ્‍વી તારલા સન્‍માન સમારોહ

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા. ૩ : ઓખામંડળ તાલુકા ના મીઠાપુર સુરજકરાડી ખાતે કાર્યરત અલ હૈદરી એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શાદી-સમૂહ લગ્નનું આયોજન આગામી ૨૬/૬/ર૦રર ના યોજાનાર છે. આ સમુહ લગ્નના રજીસ્‍ટ્રેશન માટે હુશેનભાઈ ગેરેજવાળા સુરજકરાડી જુમ્‍મા મસ્‍જીદ ની પાછળ, નવનીત હોટેલ વાડી ગલી મો. ૯૮ર૪૮૬૧૧૦૯ તથા અ, વાદિહ સેનેટરી હાઉસ ગાંધીનગરી ઓખા આરીફભાઈના વાળે મો. ૭૫૭૩૮ ૪૫૫૧૧ પાસે કરાવવાનું રેહશે. આ સમૂહ શાદી માટે સરકાર શ્રીના નિયમ પ્રમાણે દુલ્‍હા તેમજ દુલ્‍હાનની ઉમર પૂરી હોવી, દુલ્‍હા તેમજ દુલ્‍હનના આધાર પુરાવા જેવા કે જન્‍મ નો દાખલો, ૦૪ લીવીંગ સર્ટીફીકેટ, પ ફોટા, આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રાશનકાર્ડ વગેરે હોવા ફરજીયાત છે. દુલ્‍હા તથા દુલ્‍હન બેમાંથી કોઈ પણ એક ઓખામંડળ માં વસવાટ કરતા હોવા જોઈએ તથા દુલ્‍હા તેમજ દુલ્‍હન ના સોગંદનામાં રજુ કરવા ફરજીયાત છે. તથા જમાતની ચિટ્ટી પણ રજુ કરવાની રહેશે. સમૂહ શાદીની નોંધણી કરવાની છેલ્લી તારીખ ૫/૬/ર૦રર રહેશે તથા બંને પક્ષ તરફ થી કેટલા મેહમાનોને લાવવાનો તથા અન્‍ય પણ બાબતમાં ફેરફાર કરવાનો આખરી નિર્ણય ટ્રસ્‍ટનો રહેશે તેમ યાદીમાં જણાવેલ છે. આ સમૂહ શાદી ફક્‍ત સુન્ની મુસ્‍લિમ સમાજ માટે જ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વર્ષ ર૦ર૧-રર માં સારી ટકાવારી તેમજ પી.આર. પર્સેનટાઈલ રેન્‍ક સાથે પાસ થયેલ ધોરણ ૧ થી તાાતક તેમજ અનુ તાાતક તથા ઉચ્‍ચ કક્ષાના કોર્સમાં અભ્‍યાસ કરતા ઓખામંડળમાં વસતા સુન્ની મુસ્‍લિમ સમાજ તય્‍હા તમામ સમાજજ્ઞાતિ ના ધોરણ ૯ થી ૧ર ના વિદ્યાર્થીઓના સન્‍માન સમારોહ પણ યોજવામાં આવશે.

 તેજસ્‍વી તારલાઓના સન્‍માન સમારોહ માટેના ફોર્મ ભરવાના સ્‍થળ ૧, સુરજકરાડી જુમ્‍મા મસ્‍જીદની પાચળ, નવનીત હોટેલ વાડી ગલી, હુશેનભાઈ ગેરજવાળામો. ૯૮૨૪૮૬૧૧૦૯, ર અ, વાદિહ સેનેટરી હાઉસ ગાંધીનગરી ઓખા આરીફભાઈના વાળે મો.૭૫૭૩૮૪૫૫૧૧ અને ૩ લક્ષ્મી એસ ટી ડી પી સી ઓ ન્‍યુ માર્કેટ એરિયા મીઠાપુર રેકડી બાઝાર દિવ્‍યેશભાઈ જટણીયા મો. ૯૮૨૪૧૮૯૧૩૬ રહેશે. આ સન્‍માન સમારોહની તારીખ ટ્રસ્‍ટની આગામી યાદીમાં જણાવવામાં આવશે

(11:51 am IST)