Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જામનગર મહાકાલેશ્વર મંદિરમાં કાલથી ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ

મયૂર ટાઉનશીપ સોસાયટી પરિવાર દ્વારા આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : તા.૩:  મયૂર ટાઉનશીપ સોસાયટી ‘કોમન પ્‍લોટ' મારૂ કંસારા હોલની સામે, રણજીત સાગર રોડ ખાતે મહાકાલેશ્વર મંદિરમાં તા ૪ થી ૬ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાશે.જેમાં તા.૩ શુક્રવારે સાંજે ૪:૩૦ કલાકે દેહશુધ્‍ધિ, પ્રથમ દિવસ તા. ૪ શનિવારે સામૈયા, જલયાત્રા, શોભાયાત્રા, મંડપ પ્રવેશ, ગણપતિ પૂજન, અગિ્ન સ્‍થાપન, અરણી મંથન દ્વારા પુણ્‍યાવાચન, કૂટીર હોમ, ગ્રહ હોમ, સાયં આરતી તથા રાત્રે ૯:૩૦ વાગ્‍યે રાસોત્‍સવ યોજાશે. તા. પ રવિવારે ગણપતિ પૂજન, સ્‍થાપિત દેવ પૂજન, કુટીર હોમ, પ્રધાન હોમ, જલાધિવાસ, પુષ્‍પાધિવાસ, વૃતાધિવાસ, ધાન્‍યાધિવાસ, ઔષધી જળ દ્વારા સ્‍નયન વિધિ, માર્જનાદિ ન્‍યાસ કર્મ તથા સાંજે ૫ વાગ્‍યે સરદાર પટેલ પ્રતિમા અનાવરણ, ૬ વાગ્‍યે મહાપ્રસાદ તથા રાત્રે ૯:૩૦ વાગ્‍યે સંતવાણી-લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. જેમા લોકસાહિત્‍યકાર મનસુખભાઇ વસોયા, ભજનીક યોગીતાબેન પટેલ, લાલુભાઇ માલવીયા, જય પટેલ(કુદરત) દ્વારા કાર્યક્રમ પ્રસ્‍તુત થશેતા. ૬ ને સોમવારે દેવોનું પ્રાતઃપૂજન, શિખર-કળશ પૂજન, ધ્‍વજા પૂજન, મૂર્તિ પ્રાણ સંચાર નૂતન મંદિરમાં સ્‍થિરીકરણ, પુર્ણાહૂતી, શિખર સ્‍થાપના, અભિષેક, ધ્‍વજારોહણ, મહાઆરતી યોજાશે. જેના આચાર્ય શાષાી સાગરભાઇ જોષી તથા ઉપાચાર્ય શાષાી વિરલભાઇ જોષી રહેશે. આ ઉપરાંત કૃષ્‍ણમણીજી મહારાજ, મહંત દેવપ્રસાદ મહારાજ, ગોવિંદસ્‍વરૂપદાસજી સ્‍વામી, ચતુરભુજદાસજી સ્‍વામી તથા સાધુ ધર્મનિધિદાસ(કોઠારી સ્‍વામી) ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, કબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, આર.સી.ફળદુ, ધમેન્‍દ્રસિંહ જાડેજા, રમેશભાઇ મુંગરા, પ્રકાશભાઇ દોંગા, આનંદભાઇ રાઠોડ, કોર્પોરેટરો, હસમુખભાઇ પેઢડીયા, અંત્રા ડેવલોપર્સ, લાભ કન્‍સ્‍ટ્રકશન, જાનકી ડેવલોપર્સના આગેવાનો સહિતના ઉપસ્‍થિત મહેમાનોનું સન્‍માન કરાશે.

(11:55 am IST)