Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ધોરાજીના પીપળીયાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઈ

 ધોરાજી : પીપળીયા ગામ ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું પીપળીયા ખાતે જૂનાગઢ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આઝાદી કં અમૃત મહોત્સવ અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ વિડિયો કોન્ફરન્સ થી જન કલ્યાણ કારી યોજનાના લાભાર્થીઓને સાથે સંવાદ અને પ્રધાન મંત્રી   કિશાન સન્માન નિધિ કાર્યક્રમ ખેડૂતો એ માણેલ હતું અને સાથો સાથ કૃષિ નિષ્ણાંત ડોકટર એસ વી ઊંધાડ દ્વારા ખેડૂતો ને ખેતી બાબતે સમજણ આપવામાં આવી હતી અને ખેડૂતો એ આ શિબિરનો લાભ લીધો હતો શિબિરમાં પ્રકૃતિ ખેતી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

(1:06 pm IST)