Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

સાવરકુંડલામાં વડીલોનું વાત્‍સલ્‍યધામ ગીરધર ઘરનું મોરારીબાપૂના હસ્‍તે લોકાર્પણ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૩ : શ્રીરામ વાત્‍સલ્‍ય ટ્રસ્‍ટ દ્વારા મહુવા રોડ ઉપર ગીરધર વાવ પરિસરમાં નિર્માણ પામેલ વડીલોનું વાત્‍સલ્‍યધામ ‘‘ગીરધર ઘર''નુ આજે પૂજય મોરારીબાપુના હસ્‍તે લોકાપર્ણ કરવામાં આવ્‍યું છે.

‘‘ગીરધર ઘર'' ના નિર્માણ માટે  પ્રકાશભાઇ ગાંધી, મુકેશભાઇ પારેખ, મધુસુદનભાઇ પારેખ તરફથી ઉદાર સખાવત આપવામાં આવી છે. આ પ્રસંગે રાત્રે સ્‍વરસંધ્‍યાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. શ્રીરામ વાત્‍સલ્‍ય ટ્રસ્‍ટવતી હરેશભાઇ મહેતા અને અમિતભાઇ જાગીયાએ લોકાર્પણ પ્રસંગે હાજરી આપવા શહેરીજનોને નિમંત્રણ આપ્‍યા છે.

(1:11 pm IST)