Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જુનાગઢના નરસિંહ સરોવરમાંથી સવારે પ્રૌઢનો મૃતદેહ મળતાં અરેરાટી

ફાયર બ્રિગેડે તળાવમાંથી લાશ બહાર કાઢી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૩:  જુનાગઢની મધ્‍યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરમાંથી આજે સવારે પ૧ વર્ષીય આરીફભાઇ મકવાણા નામના પ્રૌઢની લાશ મળી આવતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

નરસિંહ સરોવરમાં માનવ લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે દોડી જઇ ફાયર બ્રિગેડના કમલેશ પુરોહિત, મુળુભાઇ ભારાઇ, મિતુલ સોલંકી, ઉમેશ સોલંકી અને છત્રપાલસિંહ ગોહિલની મદદથી માનવ મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી પોસ્‍ટ મોર્ટમ માટે મોકલી આપ્‍યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક આરીફભાઇ મકવાણા નામની વ્‍યકિત હોવાનું ખુલ્‍યું હતું પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(1:17 pm IST)