Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ટંકારામાં અમરાપર ગામે ભાવેશ કોરીંગાનો ફાંસો ખાઇ આપઘાત

બેલા ગામે ફેકટરીમાં પાણીના ટાંકામાં પડી જતા પરણિતાનું મોત

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૩ : ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમમાં ૩૪ વર્ષના યુવાને વાડીની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

 ટંકારાના લો.વાસમાં રહેતા ભાવેશ અમરશીભાઈ કોરીંગા (ઉ.વ.૩૪) નામના યુવાન કોઈ અગમ્ય કારણોસર અમરાપર ગામની સીમમાં વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે અને આપઘાતના બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે   બીજા બનાવમાં બેલા ગામ નજીક અવળ ફ્લોરીશ કંપનીમાં રહીને કામ કરતા પુનમબેન પ્રેમજીભાઈ કમલ (ઉ.વ.૨૬) નામની પરિણીતા પાણીના ટાંકામાં અકસ્માતે પડી જતા મોત થયું હતું મૃતક પરિણીતાનો લગ્નગાળો ૧૦ વર્ષનો હોય અને ચાર બાળકો હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:25 pm IST)