Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જુનાગઢમાં સૌ પ્રથમ પ્રખર અને રાષ્‍ટ્રવાદી વકતા પુષ્‍પેન્‍દ્ર કુલશ્રેષ્‍ઠનું વ્‍યાખ્‍યાન

જુનાગઢ, તા., ૩: રાષ્‍ટ્ર ચેતના સમીતી દ્વારા તા.૬ જુન ર૦રરના રાત્રે ૮.૩૦ કલાકે ગીરનાર પબ્‍લીક સ્‍કુલ,મોતીબાગ ખાતે વર્તમાન અને ભવિષ્‍યના ભારતમાં આપણી ભુમીકા વિષય ઉપર એક વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં વકતા શ્રી પુષ્‍પેન્‍દ્ર કુલશ્રેષ્‍ઠજી રહેશે. પ્રત્‍યેક  ભારતીયોમાં રાષ્‍ટ્રપ્રેમ નિર્માણ થાય અને રાષ્‍ટ્ર માટે સમર્પીત બની કાંઇક કરી છુટવાનો ભાવ નિર્માણ થાય તેવા હેતુથી જુનાગઢ રાષ્‍ટ્ર ચેતના સમીતી નિમિત ભાવે માનવ સમાજ અને રાષ્‍ટ્ર ઉત્‍થાનનું કાર્ય કરી રહી છે. રાષ્‍ટ્ર ચેતના સમીતી દ્વારા જુનાગઢમાં અનેક કાર્યક્રમ કરવામાં આવ્‍યા છે. રાષ્‍ટ્ર ચેતના સમીતી દ્વારા આઝાદીનું અમૃત મહોત્‍સવ અંતર્ગત વર્તમાન અને ભવિષ્‍યના ભારતમાં આપણી ભુમીકા જેવા મહત્‍વપુર્ણ વિષયને લઇને વ્‍યાખ્‍યાનનું આયોજન કરવામાં આવ્‍યું છે. 

(2:00 pm IST)