Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબી ઝૂલતો પુલ કેસમાં વધુ બે આરોપીઓએ જામીન માટે અરજી કરી. :સોમવારે જામીન અરજી પર હુકમ આવી સકે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ આરોપી પૈકી સાત આરોપીઓએ કરેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે ત્યારે હવે બાકી રહેલા બે આરોપીઓએ જામીન અરજી કરી છે  

 મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ગુનો નોંધી પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના નવ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી ઓરેવા ગ્રુપના મેનેજર, ક્લાર્ક સહિતના સાત આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે આજે નામંજૂર કરી હતી તો અન્ય બે આરોપી કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારે પણ કોર્ટમાં જામીન અરજી કરી છે જે જામીન અરજી પર સોમવારે કોર્ટ હુકમ કરી સકે છે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે

(10:56 pm IST)